Tuesday, 16 December 2025

કર્મનુ ફળ

 

            ગુજરાતી પૂર્વથી દક્ષિણ દિશા તરફ આગળ વધતા  જેટલો વિસ્તાર જોવા મળે છે તેમાંથી વધુ પડતી વસ્તી આદિવાસી વસ્તી જોવા મળે છે. જેમ આદિવાસી વસ્તી એકબાજુ પ્રકૃતિ પૂજક , પર્કૃતિ સાથે સંકળાયેલ ને  સામાન્ય જીવન જીવનારી છે,તેમ તેની બીજી બાજુ અંધવિશ્વાસ, કાળુજાદુ અને અઢળક માતાઓમાં માનનારી વસ્તી છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ હોવાથી અંધવિશ્વાસની બધી ગતિવિધિ પ્રબળ બળથી વધતી જાય છે.

                       આવા જ આદિવાસી વિસ્તારમાં રેતા કાંતિલાલભાઈ સ્વભાવે સખત, નાકપર ગુસ્સો, અને થોડા અભિમાની પણ ભાથીજી મહારાજને માનનારા. ઘરની બાજુએ તેઓએ ભાથીજી મહારાજનું સ્થાનક પણ બનાવ્યું હતું. કાંતિલાલની પત્નીના અવસાનને પાંચેક વર્ષ થયા હશે. તેના સિવાય કાંતિલાલને ત્રણ દીકરા અને એક લાડકવાયી દીકરી હતી. દીકરિના સારા ઘર જોઈને કાંતિલાલે ક્યારના લગન કરાવી દીધા હતા.ત્રણ દીકરાના પણ વારેવારેથી લગ્ન કરાવી દીધા હતા. કાંતિલાલ નો દીકરો સાગર ને તેની પત્ની માત્ર જ તેની સાથે રેતા હતો, બીજો દિકરો તેની પત્ની સાથે કાંતિથી અલગ થઈ રેતો હતું અને ત્રીજો દિકરો વધુ ભણીગણી નોકરી મળતા જ શેરમાં રેવા ચાલ્યો ગયો હતો. કાંતિલાલની સાથે મિત્રોની પણ કમી હતી ,જેનું એક માત્ર કારણ તેનો ખરાબ સ્વભાવ હતો.

                કાંતિલાલ જો કયારેક નવરા પડતા તો સામે દીકરા ને તેની વહુ સાથે રેતા ભીમાભાઈ અને કમળાબેન સાથે વાતો કરવા જતા રેતા. તેમની વાતોમાં કોઈ એક વ્યક્તિને મુદો બનાવી તેની નિંદા ને હાસ્ય કર્યા સિવાય કોઈ બીજી વાત વધારે જોવા ન મળતી . બસ પોતાની જ વાતોથી મોજ મેળવવી એ જ તેમની સુશી. પણ તેમની વાતોની સમજમાના વ્યક્તિ પર કેવી અસર પડશે તેની તેઓ ફિકર ન કરતા. સાંજની બેઠકમાં હવે કોની બૂરાઈ કરવાની આવશે ? એ જ એમનો સવાલ રેતો હતો.

               માતા મેલડીમા શ્રધ્ધા ધરાવનારા સુખી દંપતી ભીમાભાઇ અને કમળાબેન દારૂનો ધંધો કરતાં હતા. વર્ષના અંતે માતા મેલડીની ભૂખ શાંત કરવા અને તેમને સંતોષ આપવા બકરીની બલી આપવાની તેમની પરંપરા હતી. ભીમાભાઇને ત્રણ બીજા સગાભાઈ પણ હતા. ચારેયભાઈ દર વર્ષે એક એક બકરીની બેઠ માતાને આપતા.જો બકરીની બલી વર્ષના અંતે ન આપવામાં આવતો તો કંઈક ને કંઈક ખરાબ થશે તેવી તેમની શ્રધ્ધા.  ભીમાભાઈ  કાંતિલાલ કરતા વધુ પૈસાવાળા ને માન ધરાવનારા હતા. જ્યાં એક તરફ કાંતિલાલની રસ્તે રસ્તે નિંદા થતી ત્યાં ભીમાભાઇ નું સમ્માન થતું.

                કાંતિલાલ કાળું જાદુમાં માનનારો ને થોડુંઘણું જાણનારો હતો. જાદુથી કંઈપણ શક્ય કરી શકાય છે તેવી કાંતિને શ્રધ્ધા હતી. એકવાર કાંતિલાલે અવસાન પામેલ સગી દીકરીના પતિને એક રાત મરણ બાદ પણ ઘરે રાખ્યો હતો, માત્ર એ જોવા કે મારા જાદુથી તે જીવિત થાય છે કે નથી? કાંતિલાલના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને રાત એમની એમ જ જતી રહી. ગઈકાલે કાંતિલાલન જમાઈને સળગાવી દીવામાં આવ્યો. 

                આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પણ કાળીચૌદસની રાત્રે છેલ્લા પ્રહરમાં હાળું કાંતિલાલને શું થયું કે અચાનક તે જોર જોરથી બળબળા કરવા માંડ્યો ? બળબળામાં તે બોલતો હતો કે " મેં બોવ મોટી ભૂલ કરી છે." આવા બળબળા તે કલાક સુધી કરતો રહ્યો . છેવટે તે ટાઢો પડ્યો અને સૂઈ ગયો. સવાર થઈ ને રાત્રે બનેલા બનાવથી ડરેલ કાંતિની દીકરી ડરતા ડરતા  કાંતિને જગાડવા આવી. ધીમેથી અવાજ નાખ્યો " બાપા જાગો " અને કાંતિની આંખો પલપલી. કાંતિલાલ ગાંડાની જેમ હસવા લાગ્યા.  દીકરી સામે બાપાનું આવું દ્રશ્ય તેને સદમામા નાખનારું હતું, પરંતુ કાંતિનો જવાબ મળતા કે " હું સ્વસ્થ છું" દીકરીને થોડું હળવું લાગ્યું. તે તેમના માટે ચા બનાવી લવાવ રસોડામાં ગઈ. આ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયુ. પણ અચાનક એવું શું થયું કે કાન્તિલાલ એવા બીમાર પડ્યા કે  ઘરથી પણ શું પલંગ ઉપરથી પણ બે ડગલા ચાલી ન શક્તા. દિવસ દિવસ કાંતિલાલની તબીયત સતત બગડતી ગઈ. આ સમયમાં તેની દીકરી સિવાય ન કોઈ મિત્ર ન ત્રણ પુત્રો તેની જોડે હતા. પણ આના જવાબદાર કાંતિલાલ જ હતા જેનું મુખ્ય કારણ બાળકોમાં લીધેલ  નિષ્કાળજી અને અભિમાની જીવન. અભિમાન સાથે કરવામાં આવેલ કર્મોનું ફળ કાંતિલાલને હમણાં ભોગવવું પડ્યું . અને પછી તે સમય પણ આવી ગયો જયારે કાંતિલાલે તેની ઘરની ચાર દીવાલોમાં છેલ્લો શ્વાસ લીધો. કાંતિલાલના મરણ બાદ પુત્ર ને મિત્ર બધા આવ્યા પણ ત્યારે નય જયારે તેને આ સાથની જરૂર હતી.


બોધ : જ્યારે આપણે આપણી પદ, પ્રતિષ્ઠા, ધન, સંપતિ, અને બુદ્ધિ પ્રત્યે અભિમાન વધી જાય છે ત્યારે તે વ્યક્તિને દુર્ગતિ તરફ દોરી જાય છે

No comments:

Post a Comment

Expert lecture about economics

-  Expert lecture about economics. -  presented by  "હેમિન્ટન મહિડા" -  date : 23/02/2026 -  Day : સોમવાર                         ...