આ કહાની છે મનોજ નામના એક વ્યક્તિની અને તેના લક્ષ્યપ્રાપ્તી માટે કરેલા સંઘર્ષની. આ કહાનીનું મુખ્ય પાત્ર મનોજ છે. ચંબલના બિલગામમાં મનોજ તેના પરિવાર સાથે ગરીબ અવસ્થમાં પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. મનોજ ના પિતા સત્યવાદી હોવાથી કાળાબજારીનો સાથ ના આપતા હાઇકોર્ટમાં પોતાના સસ્પેન્ડ લેટર બાબતે ન્યાય માંગવા બારગામ જાય છે. મનોજના ઘરમાં પર્યાપ્ત ભોજનની પણ વ્યવસ્થા ન હતી. મનોજ ધોરણ ૧૨ ની પરિક્ષમાં બેવાર ફેલ પડે છે. તેવાજ સમયમાં મનોજ ની મુલાકાત એક ઈમાનદાર પુલિસવાડા સાથે થાય છે. તેની ન્યાય કરવાની રીત ને સમાજને બદલવાની વાતથી મનોજ ખુબજ પ્રભાવિત થયો. મનોજને તેમના જેવો બનવાની ઇચ્છા થઇ. મનોજે તેમને આતુરતાથી પૂછ્યું કે તમારા જેવો બનવા માટે શું કરવું પડશે . ત્યારે પુલિસવાડાએ કિધેલ વાત મનોજે મનમાં ને જીવનમાં ઉતારી દીધી કે cheating છોડવી પડશે. મનોજ આ વાત ધ્યાનમાં લય સતત મેહનત કરતો રહ્યો. મનોજે પોતાનું B.A પૂરું કર્યું વગર ચોરીએ .
મનોજ આગળ ના અભ્યાસ માટે ગ્વાલિયર જવાનો નિર્ણય કરે છે. મનોજ સવારમાં તૈયાર થય ને નીકળતો જ હોય છે કે મનોજના દાદી તેને તેમના ઓરડામાં બોલાવે છે. ઓરડાના ખૂણે મુકેલ એક પેટી ઉતારવા કહે છે. પેટીમાં સંગ્રહ કરી મૂકેલા પેન્શનના પૈસા તે મનોજને આપે છે અને મોટો અફસર બની આવવા જંખે છે. મનોજ ગ્વાલિયર ટેશને ઉતરે છે. બસમાં ઊઘ આવતા જયારે ઊઘ ઉઘડે છે ત્યારે તેના પૈસા ને બક્સા બને ચોરાય ગયા હોય છે. હવે મનોજની મુલાકાત તેની આવનારી મુલાકાતો તય કરનાર વ્યક્તિથી થાય છે જેનું નામ પાંડે હોય છે જે મનોજની જેમ જ સિવિલ સર્વિસ ની તૈયારી કરવા આવ્યો હોય છે. સિવિલ સર્વિસ ની ભરતીઓ બંધ થતાં તે હવે દિલ્લી Upsc ની તૈયારી કરવા જવાનો જ હતો ને ત્યાં મનોજ ભટકાય છે. મનોજ પણ તેની સાથે દિલ્લી જવાની જીદ કરવા માંડે છે. મનોજ પાસે દિલ્લીમાં કોઈ કામ ના હતું. ત્યાં પાંડે મનોજને ગોરિભાઈ ની મુલાકાત કરાવે છે. તેઓ Upsc ની લાસ્ટ પરીક્ષા આપવા જય રહ્યા હતા. ગોરીભાઈ મનોજને લાઇબ્રેરીમાં કામ શોધી આપે છે.
મનોજ કોચિંગ માટે કોચિંગક્લાસ શોધવા જાય છે. કોચિંગકલાસ પર તેની મુલાકાત આગળની જિંદગીમાં તેનો સાથ આપનારી શ્રધા સાથે થાય છે. આજથી પેહલા ક્યારેય મનોજના જીવનમાં માં ને બેહન સિવાય કોઈ બીજી સ્ત્રી મિત્ર આવી ન હતી. મનોજ ખુશ હતો. શ્રધા મનોજની બધીજ મનોવ્યથા સમજી જતી. શ્રધા હવે મનોજના જીવનનું એક એવું અમૂલ્ય પાત્ર બની ગયું હતું . મનોજ upsc ના બે પ્રયત્નોમાં ફેલ થાય છે. મનોજને હવે શ્રધાથી પ્રેમ થય જાય છે. મનોજ ત્રીજા પ્રયત્નમાં પણ ફેલ થાય છે. હવે તેના પાસે છેલો મોકો છે . શ્રધાને સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ થતા ઘરે જવું પડે છે. મનોજ તેના પ્રેમનો ઇજહાર કરવા તેના ઘરે મનાલી જય પોહચે છે. પરંતુ શ્રધા મનોજને મળતી નથી. મનોજનું દિલ તૂટે છે. મનોજ ફરી દિલ્લી આવે છે. ફરી છેલા પ્રયત્નની તૈયારી કરવા માંડે છે.શ્રધાનો પ્રેમ સાચો હોવાથી તે બધું છોડી તેનો સાથ આપવા આવે છે. મનોજ ખૂબ જ જોશ થી તૈયારી કરવા માંડે છે.
મનોજ પરીક્ષાના પરિણામ માટે આતુર ન હતો પણ શ્રધા તેને જબર દસ્તી પરિણામ જોવા લય જાય છે. મનોજ તેના છેલ્લા પ્રયત્નમાં પાસ થય જાય છે. બંનેના આંખમાં ખુશીના આંસુ આવે છે. આ વાત ઘરે ખબર પડતાં મનોજનું આખું પરિવાર ખુબજ ખુશ થાય છે. મનોજના સંઘર્ષની જીત થાય છે. મનોજનું. Ips બનાવનું સપનું પૂરું થાય છે.
લિ. સાગર .જે